આજ રોજ હરિહર સિવિલ ટિફિન સેવા મંડળ દ્વારા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ, ઠક્કરબાપાનગર, અમદાવાદ ખાતે 25 વિધવા બહેનોને મુખ્ય દાતા મુકેશ પટેલ, મુકેશ પડસાળા, કિરીટ પટેલ, કિશન પટેલ, નટુભાઈ પટેલ, કાંતિભાઈ ફીણાવા અને રાજુભાઇ પટેલના વરદ હસ્તે 3 મહિના ચાલે તેટલાં કરિયાણાની કીટ આપવામાં આવી હતી. શિક્ષણ એજ રામબાણ ઈલાજ છે તેમજ આત્મ નિર્ભર બનવા માટે જરૂરી માર્ગદર્શન ભાનુભાઈ કોઠિયા, મુકેશ પડસાળા તેમજ છગનભાઇ પટેલે સુંદર રીતે આપ્યું હતું.
Comments
Post a Comment