આખુ વર્ષ સ્વસ્થ રહેવા શિયાળામાં શુ કર​વું ?

આખુ વર્ષ સ્વસ્થ રહેવા શિયાળામાં શુ કર​વું ?




    શીત કાળ હેમન્ત અને શીશીર માં માણસ ને ઉતમ બળ મળે છે. બળ​વાન અને પુષ્ટ થયેલા માણસ નો જઠરાગ્નિ હેમંતઋતુ માં ઠંડી ને કારણે રોમકૂપો સંકોચાતા બહાર નિકળતો નથી અને અંદર જ રહેતો હોવાથી પ્રબળ બને છે પ્રબળ બનેલો અગ્નિ શીત ઠંડક ને લીધે ઉતપન્ન થયેલા વાયુથી વધુ બળ​વાન વને છે.



    આ ઋતુ માં જઠરાગ્નિ પ્રદિપ્ત હોય માટે જો પુરતો ખોરાક ના મળે તોહ રસ આદિ ધાતુઓને પચાવ​વા લાગે .તેથી આ ઋતુ માં શીતકાળ માં મધુર રસ ,અમ્લ અને લ​વણરસ વાળા ખોરાક લેવા. માટે આ ઋતુમાં વસાણા- પાક લ​ઈ શકાય અગ્નિ પ્રબળ હોવાથી, સહેલાઈથી પચી જાય .
    હેમંત ઋતુ શીયાળા માં રાત લાંબી હોય છે ,તેથી સ​વારમાં વહેલા ભૂખ લાગે છે .માટે સ​વારે વહેલા વાતનાશક તૈલ (તલ નુ તેલ લ​ઈ શકાય ) થી શરીરે માલિશ કર​વી કેમકે માલિશ થી ચામડી માં રુક્ષતા દુર થાય ,અંગો માં લચકીલા પણુ આવે ,હાડકા મજબૂત થાય.માથે પણ તૈલ લગાવ​વું .કસરત કર​વી.
    ખોરાક માં ગહું નો લોટ,અડદ ,શેરડી અને દુધ માથી બન​વેલી વસ્તુ ઓ નું સેવન કર​વું .આદુ,આમળા ,લીલી હળદર ,પાલક ,મેથી ,તાંદળજો ,શક્કરિયા ,મૂળા ,લીલી ડુંગળી ,લીલુ લસણ ,ગાજર ,લીલા શાકભાજી ,તલ ,ગોળ ,ગુંદર ની રાબ ,અડદીયા પાક્, મેથી ના લાડું ,વગેરેહ નો ભરપૂર ઉપયોગ કર​વો .
    સુંઠ ગોળ દેશી ગાય ના ઘી ની ગોળી ઓ ચાવી જ​વી .અગ્નિ પ્રદિપ્ત થશે અને સ્ફ્રુતી અને રોગપ્રતિકારક શક્તિ વધારી શરદી ખાંસી સામે રક્ષણ આપશે.


    સ્નાન શૌચાદી ક્રિયા માં ગરમ પાણી નો ઉપયોગ કર​વો હિતાવહ છે .સુતરાઉ જાડી ચાદર ,રેશમી વસ્ત્ર ,કંતાન કે ગરમ કામળી પાથરેલી પથારી ઉપર હલ્કું તથા ગર્મ વસ્ત્ર ઓઢી ને સુઈ જ​વું .તડકે તાપ લેવો .પગરખા મોજા પહેરી રાખ​વા.
    રાત્રી ઉજાગરા ના કર​વા તેમજ વાયુ વર્ધક વાયડી ચીજ્વસ્તુ ઓ ના ખાવી .
    આઇસ્ક્રીમ, ઠંડાપીણા વગેરે ના લેવા .
    સ્વાસ્થ્ય નું રક્ષણ ઇચ્છતા આ ઋતુ માં નિષ્ણાંત વૈદ્ય પાસે શાસ્ત્રોકત પંચકર્મ કરાવ​વું. શરીર માથી જુનો કચરો મળ કાઢી ને કોષો ને જીવંત વતા બનાવ​વા .જેથી બારેમાસ સ્વસ્થ રહે શકાય .

-વૈદ્ય મિહિર ખત્રી(B.A.M.S)
-વૈદ્ય વંદના ખત્રી(B.A.M.S)
Contact - 07948004200, 9327595561


Comments