ડોક્ટર પરિવારે ગામના 75 વર્ષ પૂર્ણ કરેલ વૃધ્ધ વડીલોનું કર્યું અનેરું સન્માન.

 ડોક્ટર પરિવારે ગામના 75 વર્ષ પૂર્ણ કરેલ વૃધ્ધ વડીલોનું કર્યું અનેરું સન્માન.

અમદાવાદમા તબીબી વ્યવસાય સાથે સંકડાયેલ ડોક્ટર હસમુખ પટેલના પરિવારે ગામના ૭૫ વર્ષ પુરા કરેલ વડીલો ને વય વંદના કરી ને શાલ ઓઢાડી ને કરાયુ અદકેરું સન્માન કર્યું હતું.

દરેક સમાજ ને પેરક બનેલ આ કાર્યક્રમ થકી નૈતિક ફરજ બજાવી તબીબ પરિવારએ ગામનું ગૌરવ વધાર્યું છે.

રણછોડપુરા ગામ ના વૃધ્ધ મહિલા અને પુરુષોનું સન્માન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર ગામના ગા્મજનો એ એકમેક ને અભિનંદન આપ્યા હતા તેમજ ડાઁકટર પરિવારને બિરદાવ્યો હતો.

ભારત દેશ જ્યારે આઝાદી ના ૭૫ મા વર્ષની ઉજવણી અમૃત પર્વ તરીકે સમગ્ર દેશ મા કરી રહ્યી છે ત્યારે અમદાવાદના હટકેશ્વરમાં તબીબી પ્રેક્ટિસ કરતા આ તબીબએ અનોખી રીતે ગામ ના વડીલો નું સન્માન કરી ને તેઓ ને ભાવતા ભોજન પીરસીને તેઓનું શાલ ઓઢાડી ને બહુમાન કરી ને અન્ય સમાજના નાગરિકો માટે એક ઉત્તમ ઉદાહરણ સાબિત કરતા તબીબ હસમુખ પટેલ પેરક બન્યા હતા




















Comments