YHAI Gujarat Dhoraji ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતા ના મંદિર પરિસરમાં તથા આસપાસનાં વિસ્તારમાં સફાઈ અભિયાન

ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતા ના મંદિર પરિસરમાં તથા આસપાસનાં વિસ્તારમાં સફાઈ અભિયાન



યુથ હોસ્ટેલ્સ ગુજરાત રાજ્ય શાખાના સ્ટેટ સેક્રેટરીશ્રી ભૂપતસિંહ ઝાલા સાહેબ દ્વારા ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતા ના મંદિર પરિસરમાં તથા આસપાસનાં વિસ્તારમાં વન વિભાગ સાથે એક સફાઈ અભિયાન બે દિવસ માટે યોજવામાં આવેલ. 

વન વિભાગ જુનાગઢ ના એ.સી.એફ. ભાલીયા સાહેબ દ્વારા તેઓને ખાસ આમંત્રણ મળેલું અને વન વિભાગ દ્વારા તમામ સભ્યોને રોપ વે માં જવા/પરત આવવાનું ફ્રી હતું. જમવા ની વ્યવસ્થા પણ ભાલીયા સાહેબ તરફથી હતી.

આ અભિયાન માં ૫૦ સભ્યો જોડાયા હતા ૬૦ બેગ્સ પ્લાસ્ટિક એકઠું કરવામાં આવેલ.

શ્રી ઝાલા સાહેબ અને તેમની ટીમ ને પર્યાવરણ ની જાળવણી માટે ઉત્તમ કામગીરી માટે અને વન વિભાગ ના તમામ અધિકારીશ્રી ઓ ને રાજ્ય શાખા તરફથી ખુબ ખુબ અભિનંદન.































Comments