ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમ-નિકોલ અમદાવાદ ખાતે ખોડલધામ સમિતિ અમદાવાદ દ્વારા ૨૩૮ મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી

 " ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમ-નિકોલ અમદાવાદ ખાતે ખોડલધામ સમિતિ અમદાવાદ દ્વારા ૨૩૮ મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી" 


સંત ભોજલરામ બાપા ની ૨૩૮ મી જન્મ જયંતિ ની ઉજવણી નુ આયોજન તા-૫-૫-૨૦૨૩ ના રોજ ખોડલધામ સમિતિ અમદાવાદ દ્વારા ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમ- નિકોલ-અમદાવાદ ખાતે સવારે -૯-૩૦ કલાકે આયોજન કરવામાં  આવ્યું હતુ્






આ પ્રસંગે ઉપસ્થિત સૌ સમાજ ના લોકો એ પૂજય ભોજલરામ બાપા ને  પૂષપાજંલિ અપૅણ કરી હતી, કાયૅક્રમ મા ખોડલધામ સમિતિ કાગવડ  ના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ કુભાણી એ ભોજલરામ બાપા ને યાદ કરી તેમના પરચા તથા સેવા ના કાર્યો ની વાત કરી હતી અને અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં ખોડલધામ સમિતિ ની સેવાકીય કામગીરી તથા સમિતિ નુ સંગઠન મજબૂત કરવા ભાર મૂકયો હતો.  


આ પ્રસંગે ખોડલધામ સમિતિ અમદાવાદ ના કન્વિનર શ્રી પ્રકાશ મોરડીયા, અશોક ભવાણી તથા તેમની નવનિયુક્ત ટીમ તથા ખુબજ મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન વડિલો, યુવાનો તથા ભાઇઓ અને બહેનો હાજર રહ્યા હતા. 















કાયૅક્રમ ના અંતે સૌ જ્ઞાતિ જનો અલ્પાહાર લઇ ને છુટા પડયા હતા. 

અશોકભાઈ ભવાણી. 

મંત્રી. 

ખોડલધામ સમિતિ અમદાવાદ.

Comments